દેશમાં બેટી બચાવો બેટી પઢાવોના નારા વચ્ચે સ્ત્રી ભ્રુણ હત્યાની ઘટનાઓ નિવારી શકાઈ નથી. બાળકીઓને જન્મતાની સાથે ત્યજી દેવામાં આવે છે. ત્યારે થરાદમાં આવીજ એક ધ્રુણાસ્પદ ઘટનાથી લોકોમાં ફીટકારની લાગણી પ્રસરી છે. થરાદના રેફરલ ત્રણ રસ્તા પાસે આજે બળ બળતા બપોરના સમયે જાહેર માર્ગ પર કોઈ શખ્સો નવજાત મૃત બાળકીને ત્યજી દેતા અરેરાટી વ્યાપી ગઈ હતી. ઘટનાસ્થળે લોકોના ટોળેટોળા એકઠા થઇ ગયા હતા અને પોલીસને જાણ કરતા મૃત બાળકીને પીએમ માટે ખસેડી વધુ તપાસ હાથ ધરી હતી. જોકે, રેફરલ વિસ્તારમાંથી મૃત બાળકી મળતા શહેરમાં અનેક ચર્ચાઓ જાગી છે.