થરાદમાં ખેડૂતના ખિસ્સામાંથી ૨૪૦૦૦ રૂપિયાની ચીલઝડપ

થરાદમાં ખેડૂતના ખિસ્સામાંથી ૨૪૦૦૦ રૂપિયાની ચીલઝડપ
 
 
થરાદ
થરાદ શહેરની એક ઘટના મુજબ થરાદના રડકાના રાંમાભાઇ ગમનાજી બ્રાહ્મણ નામના ખેડુત શનિવારના બપોરના અઢી વાગ્યાના સુમારે થરાદ માર્કેટમાં માલ વેચીને તેનાથી આવેલા રૂપીયા ૨૪હજાર લઇને સામાન માટે ખરીદી કરવા થરાદની બજારમાં આવવા માટે માર્કેટથી ચારરસ્તાની રિક્ષામાં બેઠા હતા.જેમાં બે શખસો બેઠેલ હતા. જેઓ થોડે દુર જઇને રિક્ષામાંથી ઉતરી ગયા હતા. આથી શક પડતાં તેમણે ખિસ્સુ ચેક કરતાં તેમાંથી રૂપીયા જતા રહ્યા હતા.આથી રિૅક્ષા પાછી વાળીને તપાસ કરતાં બંન્ને ભાગી છુટ્યા હતા.આ અંગે ખેડુતે થરાદ પોલીસમથકમાં તેઓ જે રિક્ષામાં બેઠા હતા તેનો નંબર ૦૫૫૨ હોવાનું જણાવી ચોરને પકડવાની રજુઆત કરી હતી.આ બનાવથી ચકચાર મચવા પામી હતી.
 
 
 
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.