વાંદીયોલની સાબર સ્કૂલ ઓફ ર્નસિંગના વિદ્યાર્થીની ફાંસો ખાધેલી હાલતમાં લાશ મળતાં ચકચાર

શામળાજી ગુજરાતમાં આત્મહત્યાના બનાવોમાં ચિંતાજનક વધારો જોવા મળી રહ્યો છે શાળામાં,કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ ભણતરના ભાર નીચે અને વાલીઓના અપેક્ષાના બોજ નીચે માનસિક તણાવ અનુભવતા હોવાથી આત્મહત્યાનો માર્ગ અખત્યાર કરતા હોય છે અરવલ્લી જીલ્લાના ભિલોડા તાલુકાના વાંદીયોલ ગામે આવેલ સાબર સ્કૂલ ઓફ ર્નસિંગ ના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતા વિજયનગર ના કણાદર ગામના અજયકુમાર શાંતિલાલ ખરાડીનો મૃતદેહ વાંદીયોલ ગામના તળાવ નજીક  ખેતરમાં ઝાડ પર ફાંસો ખાધેલી હાલતમાં લટકતો હોવાની જાણ થતા ભારે ચકચાર મચી હતી ઘટનાની જાણ ર્નસિંગ કોલેજના ટ્રસ્ટીઓને થતા શામળાજી પોલીસ અને વિદ્યાર્થીઓના પરિવારજનોને થતા ઘટનસ્થળે ધસી આવ્યા હતા  પ્રાપ્ત માહિતી અનુસાર, સાબરકાંઠા જીલ્લાના વિજયનગર તાલુકાના કણાદર ગામનો અજય કુમાર શાંતિલાલ ખરાડી નામનો વિદ્યાર્થી ભિલોડા તાલુકાના વાંદીયોલ નજીક આવેલી સાબર સ્કૂલ ર્નસિંગમાં જીએનએમ કોર્સના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતો હતો અને ઘરે થી કોલેજ અપડાઉન કરતો હતો બે દિવસ પહેલા ર્નસિંગ કોલેજમાં અભ્યાસ અર્થે ગયેલો અજય બે દિવસ સુધી ઘરે પરત ન ફરતા તેના પિતાએ ર્નસિંગ કોલેજમાં તપાસ કરતા કોલેજમાં પણ બે દિવસથી આવ્યો ન હોવાનું કોલેજ તરફથી જાણવા મળતા પરિવારજનોમાં ફાળ પડી હતી ગુરુવારે  વાંદીયોલ તળાવ નજીક આવેલા ખેતરમાં ઝાડ પર અજાણ્યા યુવકની લાશ લટકતી જોવા મળતા સરપંચને જાણ કરતા લોકોના ટોળેટોળા ઉમટ્યા હતા ટ્રસ્ટીઓ પણ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને લાશ તેમના વિદ્યાર્થી હોવાનું જણાતા મૃતક યુવકના પરિવારજનો અને પોલીસને જાણ કરતા ઘટનસ્થળે દોડી આવી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી
મૃતક યુવકના પિતાએ અને પરિવારજનોએ યુવકની હત્યા થઈ હોવાનો આક્ષેપ કર્યો હતો પરિવારજનોએ આક્રંદ કરી મુકતા વાતાવરણમાં ગમગીની છવાઈ હતી ઘટનાસ્થળે આદિવાસી સમાજના ટોળેટોળા ઉમટ્યા હતા.
 
 

 
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.