લાજપોર જેલમાં કાચા કામની બે મહિલા કેદીઓએ વધુ પડતી દવા ખાઈને આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જેલમાં મહિલાઓની હાલત નાજૂક જણાતા સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી છે.
બાળકના અપહરણના આરોપમાં ઝડપાયેલી રોશની બશીર રંગૂનવાલા અને નાઝનીન સાજી મુસ્તફા કુરેશી લાજપોર જેલમાં કાચા કામના કેદી તરીકે છે. ત્યારે આજે બન્ને મહિલાઓએ વધુ પડતી દવાઓ પીને આપઘાતનો પ્રયાસ કર્યો હતો. બન્ને મહિલાઓએ પેરેસિટ્ટામોલ, ફેમોજીલીન, મેટ્રોઝીલ નામની દવા પી લેતા તેની હાલત કથળી હતી. જેથી જેલમાં સારવાર આપવા છતાં હાલતમાં સુધારો ન થતાં સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. ચોક બજાર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી બાળક અપહરણની ફરિયાદ બાદ બન્ને મહિલા આરોપીઓ ઝડપાઈ હતી. મહિલાઓએ ક્યા કારણોસર આપઘાત કર્યો હતો હજુ જાણવા મળ્યું નથી. જો કે, મહિલાઓએ સિવિલમાં તબીબોને જણાવ્યું હતું કે, તેમણે 10-10 ગોળીઓ ખાઈ લીધી હતી.