યાત્રાધામ અંબાજી ના ગબ્બર તળેટીમાં આવેલી મંદિર દેવસ્થાન ટ્રસ્ટની બંધ કેન્ટીનમાં એક નો મૃતદેહ મળી આવતા ભારે ચકચાર મચી જવા પામી છે, આજે બપોરના સુમારે અચાનક એક સફાઈ કામદાર ની નજર બંધ કેન્ટીન મા આ મૃતદેહ ઉપર પડતા તેણે ગબ્બર સંકુલના ક્લાર્કને જાણ કરતા તાકીદે તેઓ હાલતમાં પડી રહેલી કેન્ટીનમાં જઇને જોતા અંદાજે 25 થી ૩૦ વર્ષના યુવાનનો મૃતદેહ ખૂણામાં પડેલો જોવા મળ્યો હતો. જોકે આ મરનાર પાસેથી પણ જાતનો આધાર પુરાવો મળી આવેલ નથી ને આ મરનાર વ્યક્તિ છૂટી છવાઈ મજૂરી કરી આ કેન્ટીનમાં સુઈ રહેતો હતો જેનો આજે મરણ ગયેલા હાલતમાં મળી આવ્યો હતો જેને લઇ ગબ્બર સંકુલના ક્લાર્ક યોગેશ જોશીએ અંબાજી એ પોલીસને અંબાજી મંદિર ટ્રસ્ટને આ હકીકત જણાવી હતી.