પતિના નોકરી ગયા બાદ પરણિતાએ પ્રેમીને ઘરે બોલાવ્યો, પ્રેમીએ જ ઉતારી મોતને ઘાટ

સુરતના પાંડેસરામાં પ્રેમ પ્રકરણમાં પરિણીતાની હત્યા થઈ હોવાની ઘટના સામે આવી છે. આ ઘટનામાં પરિણીત પ્રેમિકાની તેની પ્રેમીએ પુત્રની સામે જ બોથડ પદાર્થ માથામાં મારી મોતને ઘાટ ઉતારી હતી. ઘટનાને પગલે પોલીસે ઘટના સ્થળે પહોંચીને સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે.
 
લગભગ આ ઘટનાક્રમમાં સાડા નવ વાગ્યા આસપાસ અજયે પ્રેમિકા નંદીનીને લાકડાના ફટકા મારતાં તેના માથાના ભાગેથી લોહી વહેવા લાગ્યું હતું. ત્યારબાદ પ્રેમી અજય ત્યાંથી ભાગી ગયો હતો. સાંજે 12 વાગ્યે જ્યારે નંદિનીનો પતિ કામેથી ઘરે આવ્યો ત્યારે તેને પત્નીની આવી હાલત જોઈને હેબતાઇ ગયો હતો.
 
પતિએ પત્નીની આવી હાલત જોઈ તાત્કાલિક 108 મારફતે એમ્બ્યુલન્સની મદદથી હોસ્પિટલ ખસેડવામાં આવી હતી, જ્યાં નંદિનીએ સારવાર દરમિયાન છેલ્લો શ્વાસ લીધો હતો. હાલ પોલીસે બાળકોના નિવેદન નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. અને નવ વર્ષના પુત્રને સાક્ષી બનાવવાની તજવીજ હાથ ધરાઈ છે.
 
મૃતકના પતિ સંજયે જણાવ્યું હતું કે, નંદીની અને અજય વચ્ચે છેલ્લા ત્રણેક વર્ષથી પ્રેમ પ્રકરણ ચાલતું હતું. તેઓએ પ્રેમ સંબંધની જાણ થતાં પાંચેક મકાન બદલી અહીં ગણેશનગરમાં રહેતા હતાં. અગાઉ એકવખત બન્નેને રંગેહાથે ઝડપીને અજયને પોલીસ હવાલે કર્યો હતો. ત્યારબાદ અજયે આખા પરિવારને મારી નાખવાની ધમકી આપી હતી.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.