ગુજરાતમાં સ્વાઈન ફ્લુથી ૧૦ નાં મોત
સ્વાઈન ફ્લુનો આતંક યથાવતરીતે જારી રહ્યો છે. સપ્ટેમ્બર મહિનામાં ૧૭ દિવસના ગાળામાં જ ૭૩ કેસો સપાટી ઉપર આવ્યા છે. સ્વાઈન ફ્લુના કારણે ૧૦ લોકોના મોતના અહેવાલને પણ સમર્થન મળી ચુક્યું છે. બીજી બાજુ સ્વાઈન ફ્લુના અમદાવાદમાં પણ નવા કેસો સપાટી ઉપર આવ્યા છે. અમદાવાદ ઉપરાંત રાજકોટમાં પણ સ્વાઈન ફ્લુના કેસો સપાટી ઉપર આવ્યા છે. પ્રાયમરી હેલ્થ સેન્ટરોને પણ જરૂરી દવાઓનો જથ્થો ઉપલબ્ધ કરાવવામાં આવી રહ્યો છે. રાજ્યભરમાં કોમ્યુનિટી હેલ્થ સેન્ટરોને પણ જરૂરી સલાહ આપવામાં