લાખણી - થરાદ રોડ ઉપર શાળામાં ભણતા બાળકોની મોતની મુસાફરી

રાજ્ય સરકારે શાળાઓમાં ભણતા બાળકોને ખાનગી વાહનોમાં ન લઈ જવાનો પરિપત્ર કર્યા છે પરંતુ બનાસકાંઠા જિલ્લાના અંતરિયાળ લાખણી અને થરાદ તાલુકામાં બસોના અભાવે બાળકો ખાનગી વાહનોમાં લટકીને જીવના જાખમે મુસાફરી કરી રહ્યા છે. શાળાકીય પ્રવાસ દરમ્યાન થયેલ માર્ગ અકસ્માતોના પગલે રાજ્યના શિક્ષણ વિભાગે ખાનગી અને જાખમી વાહનોમાં બાળકોને લઈ જવા ઉપર પ્રતિબંધ ફરમાવ્યો છે. પરંતુ અંતરિયાળ ગામડાઓમાંથી આવતા બાળકોને શાળાએ જવા અને આવવાના સમયે બસો જ હોતી નથી. તેથી બસનો પાસ કઢાવેલ હોવા છતાં શાળાઓમાં ભણતા બાળકોને નાછૂટકે જીવના જાખમે ખાનગી જીપોમાં લટકીને મોતની મુસાફરી કરવી પડે છે. તે દરમ્યાન બાળકો સાથે કોઈ અનિચ્છનીય ઘટના ઘટે તો જવાબદાર કોણ ? તેવો સવાલ વાલીઓમાંથી ઉઠવા પામ્યો છે. ત્યારે સરકારે શાળાઓમાં ભણતા બાળકોના હીતમાં સ્પેશ્યલ બસો ફાળવી છે તે બસો શાળા સમય દરમ્યાન નિયમિત દોડાવવાની માંગ ઉઠવા પામી છે.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.