ધાનેરા ગંજ બજારમાં ખેડુતો શિયાળુ પાક વાવવા માટે તથા દિવાળીના તહેવારોમાં જરૂરિયાત હોઈ પોતાની મગફળી માત્ર ૭૦૦ થી ૮પ૦ ના ભાવે વેચી રહ્યા છે. તેથી હાલમાં માર્કેટયાર્ડમાં રોજની ફક્ત ૧૦ હજાર બોરીની આવક થઈ રહી છે. ૧પ તારીખ પછી તો ખેડુતો પાસે માલ જ બચ્યો નહી હોય તો પછી સરકાર કોને ફાયદો કરાવવા માગે છે?
હાલમાં રવિ સીઝનનું વાવેતર ચાલુ છે. જેમાં પ૦ ટકા વાવેતર પતવા આવેલ છે. જેમાં ખેડુતોને ખાતર, બિયારણ, દવા, ખરીદવા પૈસાની જરૂર છે જેથી ખેડુતો નીચા ભાવથી મગફળી વેચી રહ્યા છે.
જ્યારે ખેડુતોની મગફળી ૯૦ ટકા ૧પ મી નવેમ્બર સુધી માર્કેટયાર્ડમાં વેચાઈ જશે. ત્યારબાદ સરકાર ૧પ મી નવેમ્બર પછી ખરીદી કરશે અને તેનું પેમેન્ટ એક મહિને કરશે.