ગાંધીનગરના ભાટ ખાતે અમદાવાદના ચાર યુવકો ડૂબી ગયા હોવાના અહેવાલ મળી રહ્યા છે. તમામ ડૂબેલા યુવકો અમદાવાદના અસારવાના રહેવાસી હોવાનું જાણવા મળે છે.
આ ઘટનામાં ફાયર બ્રિગેડની ટીમે ચારમાંથી ત્રણની લાશને શોધી કાઢી છે. પરંતુ હજી એક મૃતદેહ શોધવાની કવાયત ચાલી રહી છે. તમને જણાવી દઇએ કે, આ ચારેય યુવકો ભાટ ગામ ખાતે આવેલી સાબરમતી નદીમાં ડૂબી ગયા હતા.
આ ઘટનામાં મળતી માહિતી પ્રમાણે, યુવકો નદીમાં ન્હાવા માટે ગયા હતા કે પછી કોઈ અન્ય કારણથી ડૂબ્યા તે જાણી શકાયું નથી. ઘટનાની જાણ ફાયર બ્રિગેડને કરાતા ફાયરનો કાફલો પહોંચ્યો હતો અને તેમને ભારે જહેમત ઉઠાવ્યા બાદ ત્રણનો મૃતદેહ શોધી કાઢ્યા છે, પરંતુ એક વ્યક્તિની શોધ હજી ચાલું છે.