વાવ તાલુકાની મોરીખા, ધરાધરા અને દેથળી કેનાલમાં ગેટમેનની બદલી કરી પાણી છોડવા ગ્રામજનોએ અગાઉ બે વખત આવેદનપત્રો આપ્યા હતા. તેમ છતાં પાણી ન છોડતા ઉશ્કેરાયેલા ગ્રામજનો મામલતદાર કચેરીએ દોડી આવ્યા હતા અને મામલતદારને આવેદનપત્ર આપી કેનાલમાં સત્વરે પાણી નહીં છોડાય તો તા.૧પ/૯/ર૦૧૮ ના રોજ મામલતદાર કચેરી ખાતે સામૂહિક આત્મદાહ કરવાની ચિમકી ઉચ્ચારી હતી. મામલતદારે તેમની રજૂઆત ઉચ્ચ સ્તરે પહોંચાડવાની ચિમકી ઉચ્ચારી હતી.