કેનાલમાં પાણી મુદ્દે વાવના મોરીખાના ગ્રામજનોએ ફરી આવેદનપત્ર આપ્યું

વાવ તાલુકાની મોરીખા, ધરાધરા અને દેથળી કેનાલમાં ગેટમેનની બદલી કરી પાણી છોડવા ગ્રામજનોએ અગાઉ બે વખત આવેદનપત્રો આપ્યા હતા. તેમ છતાં પાણી ન છોડતા ઉશ્કેરાયેલા ગ્રામજનો મામલતદાર કચેરીએ દોડી આવ્યા હતા અને મામલતદારને આવેદનપત્ર આપી કેનાલમાં સત્વરે પાણી નહીં છોડાય તો તા.૧પ/૯/ર૦૧૮ ના રોજ મામલતદાર કચેરી ખાતે સામૂહિક આત્મદાહ કરવાની ચિમકી ઉચ્ચારી હતી. મામલતદારે તેમની રજૂઆત ઉચ્ચ સ્તરે પહોંચાડવાની ચિમકી ઉચ્ચારી હતી.

  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.