ધાનેરા તાલુકાના ધાખા ગામે ગઈકાલે રાત્રે ફોઈના દિકરાએ બે બાળકોના પિતા એવા એક યુવકની હત્યા કરતા ગામમાં અરેરાટી વ્યાપી જવા પામી છે. જાણવા મળ્યા મુજબ રત્નાભાઈ પ્રતાપભાઈ માજીરાણા ગઈરાત્રીએ ધાખા- જોરાપુરા ગામમાં દૂધ ભરાવી આવી રહ્યા હતા ત્યારે તેમના ફોઈના દિકરા નાની ડુંગડોલ ગામના પ્રકાશભાઈ કરણાભાઈ માજીરાણાએ કુહાડીના ધા મારી તેમની નિર્મમ હત્યા કરી હતી. આ બનાવના પગલે સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે.ધાનેરા પોલીસે મૃતકની લાશને પીએમ માટે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે.