ધાનેરા તાલુકાના ધાખા ગામે યુવકની હત્યા થતા ચકચાર

ધાનેરા તાલુકાના ધાખા ગામે ગઈકાલે રાત્રે ફોઈના દિકરાએ બે બાળકોના પિતા એવા એક યુવકની હત્યા કરતા ગામમાં અરેરાટી વ્યાપી જવા પામી છે. જાણવા મળ્યા મુજબ રત્નાભાઈ પ્રતાપભાઈ માજીરાણા ગઈરાત્રીએ ધાખા- જોરાપુરા ગામમાં દૂધ ભરાવી આવી રહ્યા હતા ત્યારે તેમના ફોઈના દિકરા નાની ડુંગડોલ ગામના પ્રકાશભાઈ કરણાભાઈ માજીરાણાએ કુહાડીના ધા મારી તેમની નિર્મમ હત્યા કરી હતી. આ બનાવના પગલે સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે.ધાનેરા પોલીસે મૃતકની લાશને પીએમ માટે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે.

  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.