પાલનપુર તાલુકાના વાસણ(ધા) ગામે રવિવારે સાંજના સુમારે મંદિરના પટાંગણમાં નોરતિયા અને માતાજીના શેળીયા બની ચણિયા પહેરેલા પુરુષો ગરબે ઘૂમ્યા હતા. ચાલી આવતી વરસોની પરંપરા મુજબ અહીંયા આસો સુદ આઠમની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે ભરાયેલા મેળામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા.