મુસ્લિમ ટીચરે કર્યા તેના હિન્દુ સાથીના અંતિમ સંસ્કાર

ધાર્મિક એકતાનું મોટું ઉદાહરણ સામે આવ્યું છે. અહીંયા એક મુસ્લિમ ટીચરે તેના હિન્દુ સાથીના અંતિમ સંસ્કાર કર્યા. તેણે હિન્દુ રિવાજો પ્રમાણે, અંતિમ સંસ્કાર માટે માથાના વાળ તથા મૂછો પણ કઢાવી અને હવે તે 11 દિવસ પરિવાર સાથે શોક પણ મનાવશે. જોકે, તેના દોસ્તના પરિવારમાં માત્ર ત્રણ દીકરીઓ જ હતી, એટલા માટે તેણે પોતાની ફરજ બજાવી. તે તેમને પોતાનો સાથી અને મેન્ટર માનતા હતા, જેમની પાસેથી માનવતાનો પાઠ ભણ્યા હતા અને એટલા માટે તેણે આ નિર્ણય લીધો. મુસ્લિમ ટીચરે કહ્યું કે તે મારા ત્રીજા પિતા હતા.

સંજન 2005માં રિટાયર્ડ થઈ ગયા હતા અને સ્કૂલમાં તેમનો સાથ છૂટી ગયો હતો, પરંતુ તેમની મિત્રતા યથાવત હતી. અશફાક તેને પોતાનો મેન્ટર માનતો હતો કારણ કે જ્યારે તેમણે સ્કૂલ જોઈન કરી હતી તો તેમની પાસેથી તે ઘણુ બધુ શીખ્યો હતો.
સંજનના મોત બાદ તેના પરિવારમાં તેની માત્ર ત્રણ દીકરીઓ જ હતી એટલા માટે તેના અંતિમ સંસ્કાર કરવાનો નિર્ણય લીધો. હવે તેની સાથે તેની પત્ની અને 11 વર્ષનો દીકરો પણ શોક મનાવશે.

અશફાક જૂના દિવસોને યાદ કરતા કહે છે કે, સ્કૂલ જ્યારે પોતાની સુવર્ણ જયંતિ મનાવી રહી હતી, તે વર્ષે જ મારી નિમણૂક થઈ હતી.
 સ્કૂલમાં ઘણા એવા લોકો હતા જે ધર્મના આધારે મારી નિમણૂકનો વિરોધ કરી રહ્યા હતા, પરંતુ સંજન મારી સાથે ઊભા હતા.
 તેમણે મને બધી વાતોને અવણવા માટે કહ્યું. આટલું જ નહીં, મને જ્યા સુધી ઘર ના મળ્યું ત્યાં સુધી મને તેમના ઘરમાં રાખ્યો.
 અશફાકે કહ્યું કે, તે ધર્મમાં નહીં માનવતામાં માને છે અને આ વાત મેં તેમની પાસેથી શીખી છે. તેમણે બતાવેલા માનવતાના રસ્તા પર ચાલવાનો નિર્ણય કર્યો છે.

અશફાકે કહ્યું કે, હું ઉદારવાદી વિચારધારા ધરાવું છું અને આ બધુ સંજન સરના કારણે છે. હું કાયમ કહું છું કે, મારે ત્રણ પિતા છે- એક જેમણે મને જન્મ આપ્યો, બીજા મારા ગુરુ અને ત્રીજા સંજન સર. તેમણે ક્યારેય કોઈ વાતની પરવાહ નથી કરી અને જે સાચું હતું તે જ કર્યું. હું પણ એ જ કરી રહ્યો છું.

 

  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.