ભર શિયાળામાં પાણીની સમસ્યાથી આમ પ્રજામાં આક્રોશ પંદર હજારની જનસંખ્યા ધરાવતા વાવ શહેરને દેવપુરા લાઈન મારફત પાણીનો જથ્થો ફાળવવામાં આવે છે. પરંતુ છેલ્લા સતત ૩ દિવસથી એટલે કે તારીખ ૧૮-૧૯-ર૦ ડીસેમ્બેર થી શહેરની જનતાને પાણીનો જથ્થો બંધ રહેતા આમ જનતામાં નારાજગી સાથે રોષ ફેલાયો છે. જવાબદાર તંત્રનો સંપર્ક કરતાં જાણવા મળ્યું હતું. કે ટેકનીકલ ખામીના લીધે પાણીનો જથ્થો ખોરંભે ચડયો છે. પરંતુ સતત ત્રણ દિવસથી પાણીનો જથ્થો બંધ રહેવા છતાં જવાબદાર તંત્ર અને સ્થાનિક તંત્ર દ્વારા આમ જનતા માટે પાણીની કોઈ વૈકલ્પક વ્યવસ્થા પણ કરવામાં આવી નથી. વધુમાં પાણીનો જથ્થો લાંબા સમય સુધી બંધ રહેશે તેવી પાણી પુરવઠા તંત્ર દ્વારા પણ આમ જનતાને જાણ કરાઈ નથી. હવે ચોથા દિવસે પાણીનો જથ્થો નહી ફાળવાય તો વાવ શહેરની સામુહિક જનતા રોડ ઉપર ઉતરી આવશે તેની જવાબદારી તંત્રે લેવી પડશે.