સરકાર દ્વારા ટેકાના ભાવે મગફળી ખરીદી ચાલી રહી છે જેમાં બનાસકાંઠા જિલ્લામાં મગફળીની ખરીદીમાં મોટાપાયે લાલીયાવાડી જોવા મળી રહી છે મોટા જિલ્લામાં ૧૩ હજારથી વધુ ખેડૂતોની નોંધણી સામે હજુ સુધી માંડ ૩૦૦ થી વધુ ખેડૂતોની ખરીદી કરાઈ છે જ્યારે શુક્રવારે ખરીદ કેન્દ્રો પર પુરવઠા નિગમના કે નાફેડના કોઈ પણ અધિકારીઓ હાજર ન રહેતા ખેડૂતોમાં રઝળી પડયા હતા ઉપરાંત અધિકારીઓની ગેરહાજરીમાં ટેગ લગાવી બારદાન પેકીંગ થતું હતું.
રાજ્ય સરકાર દ્વારા ટેકાના ભાવે મગફળી ખરીદી કરવાની જાહેરાત કર્યા બાદ આ સમગ્ર મામલો શરૂઆતથી જ વિવાદમાં છે. સરકારે એક તો ખરીદી ખૂબ મોડી શરૂ કરી હોવાની વાતે વિવાદ થયા બાદ ખરીદી શરૂ થતા અનેક જગ્યાએ ગેરરીતીઓ સામે આવી રહી છે. બે દિવસ અગાઉ દિયોદરના ખરીદ કેન્દ્ર પર મગફળીમાંથી માટી જોવા મળ્યા બાદ કેટલાક અધિકારીઓને સસ્પેન્ડ કરાયા નો હજી તાજો જ છે. ત્યારે શુક્રવારે ડીસા માર્કેટયાર્ડ ખાતેના ખરીદ કેન્દ્ર પર અધિકારીઓની લાલીયાવાડી જોવા મળી હતી. ડીસા ખરીદી કેન્દ્ર માં મગફળી વેચવા આવેલા ખેડૂતો છેલ્લા ત્રણ દિવસથી ધામા નાખીને બેઠા છે. પરંતુ હજુ સુધી તેમનો નંબર આવ્યો નથી. ખેડૂતોના જણાવ્યા મુજબ તેઓને ૨૦ તારીખે હાજર રહેવાનો મેસેજ આવ્યો હતો તેમ છતાં આજે ૨૩ તારીખ સુધી પણ તેઓની મગફળી ખરીદાઈ નથી. જ્યારે આજે ખરીદ કેન્દ્ર પર પુરવઠા નિગમના કે નાફેડના કોઈપણ અધિકારીઓ હાજર રહ્યા નથી.નવાઈની વાત તો એ છે કે અધિકારીઓની ગેર હાજરીમાં પેકીંગ ચાલી રહ્યું હતું