પુર અને ભારે વરસાદથી સાત રાજ્યો બેહાલ : ૭૭૪નાં મોત

 
 
 
 
ભારે વરસાદ અને પુરના કારણે વર્તમાન મોનસુન સીઝનમાં સાત રાજ્યોમાં ૭૭૪ લોકોના મોત થઇ ચુક્યા છે. કેરળ અને ઉત્તરપ્રદેશમાં સૌથી માઠી અસર થઇ છે. હજુ પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે જેથી રાહત મળે તેવી શક્યતા ઓછી દેખાઈ રહી છે. હિમાચલ પ્રદેશ, તમિળનાડુમાં પણ હાલત કફોડી બનેલી છે. હિમાચલમાં અતિ ભારે વરસાદના કારણે વાદળો ફાટવાની ઘટના અને ભારે વરસાદથી મોટી સંખ્યામાં લોકોના મોત થયા છે. અહીં ભેખડો ધસી પડતા પાંચના મોત થયા છે. અનેક હાઈવે બંધ રાખવામાં આવ્યા છે. રાજમાર્ગો બંધ રાખવામાં આવતા વાહનોની લાંબી લાઈનો લાગી ગઈ છે. સિમલા અને મંડીમાં સ્કુલો બંધ રાખવામાં આવી છે. હજુ ભારે વરસાદ પડી શકે છે. બીજી બાજુ સોલાન, સિમલા, મંડી, કુર્લા, કાંગરા જેવા વિસ્તારોમાં સ્કુલ કોલેજા બંધ કરી દેવામાં આવી છે. અનેક વિસ્તારો જળબંબાકાર બની ગયા છે. પાર્વતી ખીણના ઉંચાણવાળા વિસ્તારોમાં વાદળ ફાટવાની ઘટના બની છે. ચેન્નાઈથી પ્રાપ્ત અહેવાલ મુજબ તમિળનાડુમાં પણ પુરની Âસ્થતિ સર્જાઈ ગઈ છે. અહીં ૩૫૯ લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે. ૩૬ બાળકો સહિત ૨૭૬ લોકોને નામાક્કલ જિલ્લામાંથી ખસેડવામાં આવ્યા છે. કેટલાક રાજ્યો બેહાલ થયેલા છે. કેન્દ્રિય ગૃહ મંત્રાલયના આંકડા મુજબ વર્તમાન મોનસુનની સિઝનમાં સાત રાજ્યોમાં પુર અને ભારે વરસાદથી પરેશાની થઇ છે. 
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.