મંદિર બહાર ભાવિકોની લાંબી કતારો :દેવાધિદેવ મહાદેવના દર્શન કરીને ભક્તોએ ધન્યતા પ્રાપ્ત કરી
પવિત્ર શ્રાવણમાસના પ્રથમ સોમવારે વહેલી સવારથી મોટી સંખ્યામાં ભક્તોનો ધસારો જોવા મળી રહ્યો છે..અને શ્રાવણના સોમવાર પર સોમનાથ મંદિરમાં વિશેષ આરતી પણ યોજાઈ હતી આજના દિવસે ભગવાન ભોલેનાથના દર્શન કરવા માટે વહેલી સવારથી ભક્તોએ મંદિર બહાર લાંબી કતાર લગાવી હતી. અને દેવાધિદેવ મહાદેવના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. સોમનાથ મંદિરમાં દેશભરમાંથી આવેલા ભક્તો દર્શનાર્થે પહોંચી રહ્યા છે. અને શિવલિંગના દર્શન કરી ધન્યતા અનુભવી રહ્યા છે.