વરસાદ અને વાવાઝોડાની આગાહીને પગલે 15 નવેમ્બર સુધી ટેકાના ભાવે મગફળીની ખરીદી મોકૂફ

અમદાવાદ : રાજ્યમાં કમોસમી વરસાદ અને મહા વાવાઝોડાના પગલે રાજ્ય સરકારે ટેકાના ભાવે મગફળી ખરીદવાનું હાલ પૂરતું મોકૂફ રાખ્યું છે. સરકારે 15 નવેમ્બર સુધી મુલતવી રાખવાનો નિર્ણય લીધો છે. વરસાદમાં મગફળી પલળે નહીં તેને ધ્યાને લઈ નિર્ણય લેવાયો છે. 15 નવેમ્બરથી એક મહિનાનું ખરીદી માટેનું સમયપત્રક બનાવવામાં આવશે. જે દરમિયાન ટેકાના ભાવથી મગફળીની ખરીદી કરવામાં આવશે. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ જણાવ્યુ હતું કે, કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પણ નુકસાન થયું છે તેનો સર્વે કરી સરકાર તમામને વળતર આપશે. આ ઉપરાંત પ્રધાનમંત્રી પાક વિમા અંતર્ગત વિમા કંપનીઓ ખેડૂતોને પૂરુ વળતર આપે તે અંગે રાજ્ય સરકારે કેંદ્ર સરકારમાં કરી રજૂઆત કરી છે મહા વાવાઝોડાના પગલે કૃષિ વિભાગે ખેડૂતોને સૂચના આપી છે કે, તૈયાર પાકની કાપણી હાલમાં મુલત્વી રાખે, સાથે ખરીફ પાકને હમણા પીયત ન કરવા સુચના આપી છે. કાપણી સહિત 20થી વધુ સુચનોની યાદી જાહેર કરી છે. સમસ્યાના ઉકેલ ખેતીવાડી અધિકારીના સંપર્ક માટે સુચન કર્યું છે. .
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.