ધાનેરા તાલુકાના માલોત્રા ગામના શખ્સે અગમ્ય કારણોસર ગામમાંથી પસાર થતી માલગાડી હેઠળ પડતું મૂકી જીવન ટૂંકાવી દીધું હતું. ત્રણ બાળકો નોંધારા થતાં બનાવના પગલે ગામમાં અરેરાટી મચી ગઇ હતી.
માલોત્રા ગામના બેચરાભાઇ સુરતાભાઇ રબારી (ઉં.વ.૩૫) ને પુત્ર-પુત્રી હતી. પોતાને બકરાં ચરાવવાનો ધંધો હતો પરંતુ મોંઘવારીમાં કુટુંબનું ભરણપોષણ કરવા બાબતે છેલ્લા ઘણા સમયથી ટેન્શન અને અસ્થિર મગજના કારણે ગઇકાલ બપોરે ૨:૩૦ કલાકની માલગાડી ટ્રેન રાણીવાડા તરફથી આવતી હોઇ આ ટ્રેન નીચે પડતું મૂકતાં કપાઇ ગયો હોઇ તેની લાશ રેલ્વે સ્ટેશને લાવવામાં આવી હતી. આ બાબતે રેલ્વે સ્ટેશન માસ્તરનો સંપર્ક કરતાં તેઓએ જણાવ્યું કે, પોલીસને જે તે સમયે જાણ કરેલ છતાં ૫:૦૦ વાગ્યા સુધી કોઇ પોલીસ આવી નથી. તેના ત્રણ ત્રણ બાળકોએ પિતાની છત્રછાયા ગુમાવતાં નોંધારા થઇ ગયા હતા. આ બનાવની જાણ માલોત્રા સરપંચ માસુંગભાઇને થતાં તેઓએ ઘટનાસ્થળે આવી પી.એમ. વગેરેની કામગીરી શરૂ કરાવી હતી.