પાલનપુરમાં બસ ડ્રાઇવરની ભૂલના કારણે એસટી બસથી 2 મુસાફરો ઘાયલ થયા

 પાલનપુર હાઇવે ઉપર પિકઅપ સ્ટેન્ડ પાસે એસટી બસ ડિવાઇડર સાથે અથડાઇ હોવાની વધુ એક ઘટના સામે આવી છે. ચાલુ બસે ડ્રાઇવર નીચા નમીને કંઇક લેવાનો પ્રયાસ કરી રહ્યો હતો ત્યારે આ અકસ્માત સર્જાયો હતો, જેમાં બસ ડિવાઇડર સાથે અથડાઇ હતી.
 
આ અકસ્માતમાં ડ્રાઇવરની પાસે બેઠેલા બે મુસાફરો ઇજાગ્રસ્ત થયા છે, જેમને તાત્કાલિક સારવાર માટે હૉસ્પિટલ લઇ જવામાં આવ્યા છે. અકસ્માતગ્રસ્ત બસ થરાદથી વડોદરા જઇ રહી હતી અને સવારે પાલનપુરથી પસાર થઇ રહી હતી, ત્યારે આ ઘટના બની હતી. બસમાં 25થી 30 મુસાફરો હોવાનું જણાવાઇ રહ્યું છે. જો કે સદભાગ્યે મોટો અકસ્માત થવાનું ટળી ગયું હતુ.
 
બીજી તરફ આ અકસ્માતને કારણે વડોદરા-અમદાવાદ આવતા આ બસનાં મુસાફરો અટવાયા છે. તો આ અકસ્માત થતા જ ડ્રાઇવર અને કંડક્ટર ફરાર થઇ ગયા હતા.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.