સુરેન્દ્રનગરમાં માલવણ હાઇવે પર લૂંટારૂઓનો આતંક વધતો જઇ રહ્યો છે. હાઇવે પર લૂંટ કરતી ગેંગ દ્વારા પોલીસ હુમલો કરવાની ઘટના સામે આવી છે. જેમા PSI સહિત 3 પોલીસ કર્મીઓને ઇજા થઇ છે.
મળતી માહિતી મુજબ રાજ્યમાં દિવસે-દિવસે લૂટારૂઓનો આતંક વધતો જઇ રહ્યો છે. સુરેન્દ્રનગરમાં માલવણ હાઇવે પર છેલ્લા કેટલાક દિવસથી લૂટારૂઓએ આતંક મચાવી રાખ્યો છે. હાઇવે પર લૂંટ ચલાવતી આ ગેંગ દ્વારા પોલીસ પર હુમલો કરવામાં આવ્યો હતો. જેમા PSI સહિત 3 પોલીસ કર્મીઓ ઇજાગ્રસ્ત છે. પોલીસને ચોરીનો સામાન લઇને આવતા હોવાની બાતમી મળી હતી. જેથી બાતમીના આધારે પોલીસે લૂટારૂઓને રોક્યા હતા અને લૂટારૂઓ દ્વારા પોલીસ પર હુમલો કર્યો હતો.
લૂટારૂઓના વધતા આતંકને લઇને પ્રજા ત્રાહિમામ છે. જ્યારે આ લૂટારૂઓએ પોલીસની જીપ પર ગાડી ચડાવી દેવાનો પ્રયાસ કર્યો હતો. હુમલાખોરોમાં 7 જેટલા શખ્સો હતા અને જે ગાડી મૂકીને ફરાર થઇ ગયા હતા. આ મામલે સ્થાનિક પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.