બોલિવૂડ એક્ટ્રેસ પ્રિયંકા ચોપરા અને નિક જોનાસના પ્રેમ સંબંધો હાલમાં ચર્ચામાં છે. છેલ્લાં ઘણાં જ સમયથી આ બંને સાથે જોવા મળે છે. જોકે, હજી સુધી પ્રિયંકાએ નિક સાથે સગાઈ કરી હોવાની વાતનો સ્વીકાર કર્યો નથી. જોકે, નિક જોનાસે સગાઈની વાતનો આડકતરી રીતે સ્વીકાર કર્યો છે.
હાલમાં જ એક પત્રકારે નિકને પ્રિયંકા સાથેની સગાઈની શુભેચ્છા પાઠવી હતી. તો નિકે સામે આભાર માન્યો હતો. આ વાતને લઈને એમ ચર્ચાઈ રહ્યું છે કે નિકે સગાઈની વાતનો આડકતરી રીતે સ્વીકાર કરી લીધો છે. નિકે વધુમાં કહ્યું હતું કે તે પોતાનો પરિવાર ઈચ્છે છે. અને હવે તે ઈચ્છે છે તે થઈ રહ્યું છે.
અલબત્ત, નિક જોનાસે એમ કહ્યું હતું કે તે લગ્નને લઈને હાલમાં કંઈ જ કહી શકતો નથી. લગ્નનો યોગ્ય સમય તે જણાવી શકે તેમ નથી.
પ્રિયંકાને જ્યારે સગાઈ અંગે સવાલ કરવામાં આવ્યો તો તે ગુસ્સે થઈ ગઈ હતી અને કહ્યું હતું કે તે કોઈ ચૂંટણી નથી લડી રહી. આ તેનું અંગત જીવન છે અને તે એને લઈને જવાબ આપવા બંધાયેલી નથી. જોકે, નિકે સગાઈની વાતનો સ્વીકાર કરી લેતા ચાહકોને આશ્ચર્ય થયું હતું.
ટ્વિટર પર ટ્વિટ કરી હતી કે પ્રિયંકા નિક માટે થઈને ફિલ્મ 'ભારત' છોડે છે. આ વાતથી સલમાન ખાન ગુસ્સે થયો છે અને એક ઈવેન્ટમાં સલમાન ખાને પ્રિયંકાની માતા મધુ ચોપરાની અવગણના કરી હતી.
પ્રિયંકાના 36માં જન્મદિવસ પર એટલે કે 18 જુલાઈના રોજ બંનેએ લંડનમાં સગાઈ કરી હતી. તે જ રીતે લગ્ન પણ નિકના જન્મદિવસ એટલે કે 16 સપ્ટેમ્બરે લગ્ન કરી શકે છે.
લંડન જતા પહેલાં નિકે ન્યૂયોર્કના ટિફની સ્ટોરમાંથી પ્રિયંકા માટે એન્ગેજમેન્ટ રિંગ ખરીદી હતી. રિંગ ખરીદતી વખતે નિકે થોડો સમય આ સ્ટોર પણ બંધ કરાવ્યો હતો
ઈન્ટરનેશનલ મેગેઝીન પીપલના જણાવ્યા પ્રમાણે, ''નિકના મિત્રોએ દાવો કર્યો છે કે તેઓ હાલમાં ઘણાં જ ખુશ છે. નિકના પરિવાર તથા ફ્રેન્ડ્સે તેને આ પહેલાં ક્યારેય આટલો ખુશ જોયો નહોતો. નિક આ સંબંધને લઈને ઘણો જ ગંભીર છે.''
સૂત્રોના જણાવ્યા પ્રમાણે, પ્રિયંકા ચોપરા તથા નિક જોનાસ મે, 2018થી એકબીજાને ડેટ કરતાં હતાં. પ્રિયંકા તથા નિક શરૂઆતથી જ આ સંબંધોને લઈને ઘણાં જ ગંભીર હતાં. ઓક્ટોબર, 2017માં 'ક્વોન્ટિકો'નો કો-સ્ટારના ઘરે પ્રિયંકા તથા નિકની મુલાકાત થઈ હતી. એક અઠવાડિયા બાદ જ પ્રિયંકા તથા નિક મેટ ગાલા ઈવેન્ટમાં સાથે જોવા મળ્યાં હતાં.