સંત શિરોમણી સદારામ બાપા 111 વર્ષની વયે બ્રહમલીન થયા

બનાસકાંઠા જિલ્લાના  ઠાકોર સમાજના સંત શિરોમણી સદારામ બાપા બ્રહમલીન થયા  છે. પાટણની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી જેમને આજે મંગળવારે રજા આપીને કાંકરેજના ટોટણા આશ્રમ ખાતે લવાયા હતા. સંત શિરોમણી સદારામ બાપા 111 વર્ષની વયે દેવલોક પામ્યા છે. જેના પગલે ભક્તોમાં શોકની લાગણી ફેલાઇ હતી. ઉલ્લેખનીય છે કે, સંત સદારામ બાપાએ ઠાકોર સમાજમાંથી વ્યસન મૂક્તિ સહિતના કુરિવાજો દૂર કરવાનું સદકાર્ય કર્યું છે. તેમના સદ કાર્યને લઇને ગુજરાત સરકારે પણ તેમની કામગીરીને સન્માનિત કર્યા હતા. સદારામ બાપાને આશ્રમમાં લાવ્યા ત્યારે કોંગ્રેસના ધારાસભ્ય ગેનીબેન ઠાકોર, ચંદનજી ઠાકોર અને બનાસડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરી, અણદાભાઈ પટેલ સહિત અનેક ભક્તોએ તેમના અંતિમ દર્શન કર્યા હતા.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.