દાંતીવાડા : દાંતીવાડા તાલુકાના નિલપુર ગામનો વાતની અને જન્મની સાથે પગમાં અપંગ છે. એવા યુવાનને કલેકટરના હાથે સન્માન પત્ર અપાતા તે યુવાન ખુશીના આંસું રડી ગયો હતો. રાજુભાઇ શાંતિલાલ પંચાલ નામનો આ યુવાન આજે ૪૨ વર્ષનો છે અને તેના ઘરમાં તે કામવું દીકરો છે. તેના લગ્ન થયાં નથી અને હાલમાં તે તેની માતા શારદાબેનની દેખભાળ કરી પોતાનું જીવન ગુજારે છે.પોતાના પિતાજી ગુજરી ચુક્યા છે.તે નાનપણથીજ અનેકને મદદ રૂપ બનતો આવ્યો છે. નિલપુર ગામમા વર્ષોથી પગપાળા યાત્રિકો માટે સેવા કેમ્પનું આયોજન કરાય છે અને તે યુવાન રાત દિવસ લોકોનો જુસો વધારી સેવા કરી રહ્યો છે અને જોડે ગામના અનેક યુવાનો પણ આ કાર્યમાં ભેગા મળે છે અને જ્યારે આજે જિલ્લાના દરેક સેવા કેંપોને સમાન પત્ર એનાયત કરાય છે જે લેવા માટે ગામના યુવાનો દ્વારા રાજુને જોડે લાઇ જવાયો હતો અને એ ખુબજ ખુશ થયો હતો અને ખુશીના આંસુ રડી
ગયો હતા.