જીવદયા પ્રેમી હોવાનો દાવો કરતી સરકારે સાત લાખ જેટલા ઘેટાં બકરાની દુબઈ સહિતના આરબ દેશોમાં નિકાસ કરવાની હિલચાલ આદરી છે જેના ગુજરાત ભરમાં તીખા પ્રત્યાઘાતો પડવા પામ્યા છે સમસમી ઉઠેલા બનાસકાંઠા ના ડીસાના જીવદયા પ્રેમીઓએ વિરોધ પ્રદર્શન કરવાનું અલ્ટીમેટમ આપ્યું હતું તે મુજબ મોટી સઁખ્યામાં એકત્ર થયેલા જીવદયા પ્રેમીઓએ વિશાલ રેલી કાઢી સરકાર વિરૂદ્ધ સૂત્રોચ્ચાર કર્યો હતો અને હવે ઘેટાં બકરા સાથે મન્દીરોમાં જઈ દેવ દેવતાઓને આવેદનપત્ર આપવાનુ નક્કી કરી આંદોલનનું રણશિંગું ફૂંક્યું હતું જે આંદોલન આગામી દિવસોમાં આક્રમકઃ બનવાની પૂરેપૂરી સંભાવના છે.