વડગામ તાલુકાના ઇકબાલગઢ ગામમાં ગત મંગળવારની સાજે ગ્રામ પંચાયતના ડે.સરપંચના માથામાં ધારિયાના ઘા ઝીકી કરપીણ હત્યા કરનાર આરોપીને વડગામ પોલીસે ઘટના બાદ ગણતરીના કલાકોમાં ઝડપી પાડી જેલ હવાલે કરી દીધો હતો.
વડગામ તાલુકાના ઇકબાલગઢ ગામે બનેલ હત્યાની ઘટનામાં મૃતક ડે.સરપંચના ભાઇ મોહનભાઈ છગાભાઇ પરમાર (સેનમા) એ બુધવારે વડગામ પોલીસ મથકે હત્યાના આરોપી કાનજી ઉર્ફે લાલો સેધાભાઇ રાવળ વિરુધ્ધ જાતી અપમાનિત કરી પંચાયતમાં પોતાનું કામ ન થતું હોઇ ઉશ્કેરાઇ હત્યા કરી હતી તેવી ફરિયાદ નોંધાવી હતી પોલીસે આરોપી વિરૂધ્ધ જાતી અપમાનિત સહિત હત્યાનો ગુનો નોંધી જેને કલાકોમાં ઝડપી પાડયો હતો અને આ સમગ્ર ઘટનામાં વડગામ પોલીસે આરોપી પાસેથી હત્યામાં વપરાયેલ ધારીયું પણ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી આ હત્યાના બનાવ બાબતે વડગામ પી.એસ.આઇ.ને પુછતાં તેઓએ જણાવ્યું હતું કે આરોપીના રિમાન્ડ બાદ હત્યાનું કારણ જાણી શકાશે. તેમ જણાવ્યું હતુ બનાવના પગલે પંથકમાં ગમગીની છવાઇ છે.