મધ્યપ્રદેશના જબલપુર શહેરમાં આવેલું મહાકાળીનું મંદિર લોકોમાં ઉત્સુકતા પેદા કરે છે, આ સેંકડો વર્ષ જૂનું મંદિર તેમાં જોવા મળતા એક ચમત્કારથી જ લોકોમાં ચર્ચાનો વિષય બન્યું હતું. ઘણીવાર તો અહીં લોકોની નજર સામે જ જે ઘટના ઘટે છે તે જોઈને પણ લોકો વિશ્વાસ નથી કરી શકતા. વાત જાણે એમ છે કે અહીં મંદિરમાં લગાવેલું એસી જો બંધ કરવામાં આવે કે કોઈ કારણોસર પણ બંધ થઈ જાય તો તરત જ મહાકાળી માતાની મૂર્તિમાંથી પરસેવાના રેલા ઉતરવા લાગે છે, અને આવું અનેકવાર જોવામાં પણ આવ્યું હોવાની વાત છે.લગભગ 500 વર્ષ કરતાં પણ વધુ જુના એવા મંદિરની આ વાતનો ટેગ મેળવવા માટે પણ ઘણા બધા વૈજ્ઞાનિક અભિગમ પણ મેળવવામાં આવ્યા હતા, જો કે આજે પણ આ ઘટના એક રહસ્ય જ છે.