પાલનપુરમાં બાવરીઓથી ત્રસ્ત રહિશોની અનશન પર ઉતરવાની ચિમકી

પાલનપુર તાજપુર વિસ્તારમાં રહેતા રહીશો બાજુમાં આવેલા તારાનગર વિસ્તારના બાવરીઓના ત્રાસ થી ત્રાહિમામ પોકારી
ગયા છે. જેઓએ પાલનપુર નગર પાલિકાના સદસ્યોને સાથે રાખી જિલ્લા પોલીસ વડાની કચેરીએ રજુઆત કરી હતી. અને જો આ ત્રાસથી વહીવટી તંત્ર દ્વારા છુટકારો નહી આપવામાં આવે તો કલેક્ટરકચેરી બહાર ઉપવાસ ઉપર બેસવાની ચિમકી ઉચ્ચારી હતી. પાલનપુર તાજપુર વિસ્તારમાં રહેતા રહીશો બાજુમાં આવેલા તારાનગર વિસ્તારના બાવરીઓના ત્રાસથી ત્રાહિમામ પોકારી ગયા છે. જેમણે શુક્રવારે પાલનપુર નગરપાલિકાના સદસ્યોને સાથે રાખી જિલ્લા પોલીસ વડાની કચેરીએ રજુઆત કરી હતી. તેમણે જણાવ્યું હતુ કે, તાજપુરાના તારાનગર વિસ્તારમાં બાવરી ડેરાના કેટલાક અસામાજીક તત્વો દ્વારા ચોરી કરવામાં આવે છે.અને જો કહેવા જઇએ તો મારવા આવે આવે છે.તેમજ અશ્લિલ હરકતો કરવામાં આવતા આજુબાજુના રહીશો ત્રાહીમામ પોકારી ગયા છે.આ અગાઉ અવાર નવાર રજુઆત કરવા છતા કોઇ નિરાકરણ ન આવતા આખરે મહીલા ઓ ભેગી મળી સ્થાનિક નગર સેવકને સાથે રાખી જિલ્લા કલેક્ટર અને પોલીસ વડાને રજુઆત કરવામાં આવી છે. અને જો આ સમસ્યાનું કોઇ નિરાકરણ નહી આવે તો આગામી દિવસોમાં જિલ્લા કલેક્ટર કચેરી બહાર ઉપવાસ ઉપર બેસવાની ચિમકી આપી હતી
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.