રાજ્યમાં વધી રહેલા અકસ્માતોના કેસોમાં વધારો કરતા વધુ એક ઘટના આણંદ સોજીત્રા રોડ પર બની છે. આણંદ જનતા ચોકડી પાસે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો, જેમાં કાર સવાર જીવતો બળીને ખાખ થઇ ગયો હતો. આ ઘટનામાં કાર પણ બળીને ખાખ થઇ ગઇ હતી.
ઘટનાના પગલે સ્થાનિક લોકોના ટોળા ભેગા થઇ ગયા હતા, અને તાત્કાલિક ધોરણે ફાયર બ્રિગેડની જાણ કરી હતી. ત્યારબાદ ફાયર બ્રિગેડની ટીમ અને પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચીને આગ ઉપર કાબુ મેળવ્યો હતો. જોકે, ત્યાર સુધીમાં કાર ચાલક સળગતી કારમાં જીવતો ભુંજાયો હતો.
આ ઘટનાની મળતી માહિતી પ્રમાણે, શુક્રવારે મોડી રાત્રે આણંદના જનતા ચોકડી પાસે સુરત પાર્સિંગની કાર જઇ રહી હતી, તે દરમિયાન કાર ચાલકે કારના સ્ટેરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો. પરંતુ કાર અચાનક પલટી ખાઇ જતાં અકસ્માત સર્જાયો હતો અને કારમાં આગ લાગી હતી.
હાઇવે પર આગે ભીષણ સ્વરૂપ ધારણ કરી લેતા આખી કાર આગની ઝપેટમાં આવી ગઇ હતી. કારમાં આગ લાગવાના કારણે કાર ચાલક આગમાં જીવતો ભૂંજાયો હતો. સ્થાનિક લોકોએ ઘટનાને પગલે ભેગા થઇ તાત્કાલિક ધોરણે ફાયરબ્રિગેડને જાણ કરી હતી. ફાયર બ્રિગેડની ટીમ સ્થળ ઉપર પહોંચીને આગ ઉપર કાબુ મેળવ્યો હતો.