વાવ : સરહદી વાવ પંથકમાં અષાઢસુદ-બીજના રોજ એક દિવસ નર્મદાના નીરનું કેનાલોમાં આગમન થયા બાદ નર્મદાનાનીર અદ્દશ્ય થઈ જતાં શરહદી પંથકનો ખેડુત વિમાસણમાં મુકાઈ ગયો હતો. કારણકે એકબાજુ વરસાદ વિલંબે ચડ્યો છે. બીજી તરફ નર્મદાનીર બંધ થતાં પશુઓ માટે ઘાસ અને પાણીની વિકટ પરિÂસ્થતિ ઉદ્ભવી હતી.તો વળી વાવણી કરેલો ચોમાસુ પાક પણ મુરઝાવા લાગતાં સરહદી પંથકના ખેડુતોએ એક અવાજ સાથે નર્મદા વિભાગમાં ઉગ્ર રજૂઆતો કરતાં નર્મદા નિગમના ઈ.ના.કા.ઈજનેર લોઢા એ તેમની રજૂઆતોની ધ્યાનમાં લઈ સરહદી વાવ પંથકમાં નર્મદાના નીર છોડતાં ખેડુતોમાં ખુશીની લહેર જાવા મળી છે. જાકે પાણીનો પ્રવાહ ચાલુ છે. જેથી કરીને છેવાડાના વિસ્તાર સુધી રનીંગ પ્રવાહ રહેવાથી પાણી પહોંચી જશે તેવું જવાબદાર સુત્રો પાસેથી જાણવા મળ્યું છે. આમ સરહદી વાવ પંથકની નર્મદા કેનાલોમાં નીરનું આગમન થતાં ખેડુતો માટે પશુઓ માટે તેમજ આમ જનતા માટે ખુશીની વાત છે.