ધાનેરામાં માલગાડી નીચે પડતું મુકી યુવાને આપઘાત કર્યો

ધાનેરા-ભીલડી રેલ્વેલાઈન પર બપોરના સુમારે યાવરપુરા ગામના યુવાને માલગાડી હેઠળ ઝંપલાવી આપઘાત કરતાં અરેરાટી વ્યાપી હતી.
ભીલડી તરફથી આવતી માલગાડી રામસણ અને ધાનેરા વચ્ચે પસાર થઈ રહી હતી ત્યારે યાવરપુરા ગામના અંદાજે ૩પ વર્ષીય ઠાકોર ગેનાજી નામના યુવાને માલગાડી હેઠળ અગમ્ય કારણોસર ઝંપલાવતાં બંને પગ કપાઈ ગયા હતા. જેની જાણ ધાનેરા ૧૦૮ વાનને કરતાં તુરંત ૧૦૮ના કર્મચારીઓ ઘટનાસ્થળે આવી તપાસ કરતાં મરણ ગયેલ હોઈ રેલ્વે પોલીસને તથા તેના સગાવહાલાંઓને જાણ કરી તેને લાશ ધાનેરા રેફરલ હોÂસ્પટલમાં રાખવામાં આવી છે. સવારે ઘરેથી બાઈક લઈને નીકળેલા યુવાનની અપમૃત્યુની ઘટના આગથળા પોલીસ સ્ટેશનની હદમાં આવતાં આગથળા પોલીસે વધુ તપાસ ચલાવી રહી છે.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.