ઉત્તર ગુજરાત અને અમદાવાદ જિલ્લાના ખેડૂતોએ સરકાર સામે મોરચો માંડ્યો

આજે ઉત્તર ગુજરાત અને અમાદવાદ જિલ્લાના ખેડૂતોએ રેલી કાઢી સરકારે સામે બાંયો ચઢાવી દીધી છે. આ વખતે રાજ્યમાં ઓછો વરસાદ પડતાં કેટલાંક તાલુકા-જિલ્લાને અસરગ્રસ્ત જાહેર કરવાની સાથો સાથ પાકના સારા ભાવ અપાવા માટે સરકાર સામે રજૂઆત કરી છે.
 
બનાસકાંઠાના પાલનપુરમાં 14 તાલુકાના ખેડૂતોએ રેલી કાઢી પોતાના પ્રશ્નો રજૂ કર્યા છે. અંદાજિત 3000 ખેડૂતો રેલી યોજી કલેકટરને રજૂઆત કરી. જિલ્લાના 4 તાલુકાને સરકારે અછતગ્રસ્ત જાહેર કર્યા છે. વધુ 10 તાલુકાને અછતગ્રસ્ત જાહેર કરવા માટે માંગણી કરી છે. ગત વર્ષે પુર અને ચાલુ વર્ષે જિલ્લામાં વાવણી લાયક વરસાદ નથી. બીજી બાજુ ખાતર, દૂધના ફેટના ભાવમાં ઘટાડો થયો છે. પશુના ઘાસચારાની અછત, વાવણી નિષ્ફળ જતાં ખેડૂતો રોષે ભરાયા છે.
 
જયારે અમદાવાદ જિલ્લા ખેડૂત સંઘર્ષ સમિતિ દ્વારા ખેડૂત સભાનું બાવળા ખાતે આયોજન કરાયું હતું. બીજી ઑક્ટોબરથી 50 લોકો દાંડી ખાતેથી યાત્રામાં નીકળ્યા હતા. ખેડૂતોની સમસ્યા જાણવા યાત્રા કરનાર લોકો સભામાં પહોંચ્યા હતા.
નેશનલ એલાયન્સ ઓફ પીપલ્સ મુવમેન્ટ દ્ગારા યાત્રાનું આયોજન કરાયું હતું.
 
આજે બાવળામાં મુખ્ય 4 માંગણીઓ સાથે ખેડૂત સભા યોજાઇ હતી. એક તો ડાંગરનો ભાવ પ્રતિ મણ રૂ.350 આપવા માંગણી કરી હતી. બીજું અનાજની ખરીદીમાં રૂ.2 લાખ સુધીની રકમ રોકડ આપવા માંગ છે. ત્રીજું ફતેવાડી કેનાલને કાયમી ધોરણે નર્મદા કમાન્ડ સમાવવાની અને સાણંદ, બાવળા, વિરમગામ વિસ્તારમાં નવી કેનાલ બનાવવાની માંગણી છે.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.