કાણોદર ગામમાં રહેતા ગણેશભાઇ સોમાભાઇ ચાવડા (ચમાર) ડબ્બા બનાવવાની ફેકટરીમાં કામ કરતા હતા. જેમને સંતાનમાં પુત્ર ન હોવાથી સતત ચિંતામાં રહેતા અને આ કારણોસર સોમવારે રાત્રે ગામ નજીક પસાર થતાં રેલવે ટ્રેક ઉપર કોઇ ટ્રેન નીચે ઝંપલાવી દીધુ હતુ. જેમના શરીરના ટુકડે – ટુકડા થઇ થતાં ઘટનાસ્થળે જ કમકમાટીભર્યુ મોત નિપજ્યું હતુ. ઘટનાની જાણ થતાં ગ્રામજનોનું ટોળુ એકત્ર થઇ ગયું હતુ. આ અંગે મૃતકના પરિવારના કરશનભાઇ સોમાભાઇ ચાવડાએ પાલનપુર તાલુકા પોલીસ મથકે જાણ કરી હતી. જેના આધારે પોલીસે અકસ્માતે મોતનો ગૂનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.