છાપી : પાલનપુર તાલુકાના કાણોદરમાં શનિવારે વધુ એક ડેન્ગ્યુ પોઝીટીવનો કેશ સામે આવતા ગામમાં ડેન્ગ્યુને લઈ લોકોમાં ફફડાટ સાથે આરોગ્ય તંત્રની કામગીરી ને લઈ સવાલો ઉઠવા પામ્યા છે.
બનાસકાંઠામાં તાવ, શરદી સહિતના રોગોની ચપેટ માં લોકો આવી રહ્યા છે ત્યારે પાલનપુરના કાણોદર ગામમાં છેલ્લા દશ દિવસમાં બે માસૂમ બાળકીઓના અકાળે મોત નિપજતા લોકોમાં ભયનો માહોલ સર્જાયો છે. દરમિયાન ધોરણ ૧૧ માં અભ્યાસ કરતા અમાનશા સલીમશા ફકીરને ત્રણ ચાર દિવસ પૂર્વે તાવની અસર થતાં સ્થાનિક દવાખાને સારવાર લેવા છતાં ફરક ન પડતા પાલનપુર રિપોર્ટ કરાવતા ડેન્ગ્યુ પોઝિટિવ રિપોર્ટ આવતા તાત્કાલિક સિદ્ધપુર પાસે આવેલ મકતબા જાફરિયા હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો.જયાં તબિયત નાજુક હોવાનું જાણવા મળે છે.જોકે ગામમાં ઠેરઠેર ગંદકી હોવાનું જણાવી સ્થાનિક તંત્ર સામે સફાઈ બાબતે લાપરવાહી કરાતી હોવાનો આક્ષેપ કર્યો હતો અને આરોગ્ય વિભાગ દ્રારા રોગચાળાને કાબુ લેવામાં નિષફળ ગયું હોવાનું જણાવ્યું હતું.