સરહદી બનાસકાંઠા જિલ્લામાં મગફળી કૌભાંડને લઈને રાજકારણ ગરમાયુ
૫ાલનપુર
સરહદી બનાસકાંઠા જિલ્લામાં મગફળી કૌભાંડને લઈને રાજકારણ ગરમાયુ છે. કાંગ્રેસના આક્ષેપો સામે ભાજપે પણ ખેડૂત હિત રક્ષક સમિતિના નામે ધરણાં યોજી શક્તિ પ્રદર્શન કર્યું હતું.
બનાસકાંઠા જિલ્લામાં રૂ.૪ કરોડનું મગફળી કૌભાંડ આચરાયું હોવાના આક્ષેપો કાંગ્રેસ કરી રહી છે. બનાસડેરી દ્વારા ખેડૂતોના નામે મગફળી ખરીદી કૌભાંડ આચરાયું હોવાની રાવ ઉઠી છે. ત્યારે કાંગ્રેસના આક્ષેપો ને રદિયો આપતા ભાજપ દ્વારા ખેડૂત હિત રક્ષક સમિતિના નામે વિરોધ પ્રદર્શિત કરાયો હતો. ખેડૂતોના નામે યોજાયેલા વિરોધ પ્રદર્શનમા ભાજપી અગ્રણીઓ પણ મંચ પર જોવા મળ્યા હતા. જિલ્લામાં સ્થગિત મંડળીઓ દ્વારા પણ કરોડોની મગફળી ખરીદી કરાઈ હોવાના આક્ષેપો સામે ખેડૂત હિત રક્ષક સમિતિએ વિરોધ પ્રદર્શિત કર્યો હતો.