અછતગ્રસ્ત ગુજરાતમાં ટેકાના ભાવે રાયડાની ખરીદી કરવા સીએમને રજૂઆત

 
 
 
 
 
 
 
 
                       અછતગ્રસ્ત ઉત્તર ગુજરાતમાંથી પ્રતિમણે એક હજાર રૂપિયાના ભાવે રાયડાની ખરીદી  કરવા માટે પાટણના ધારાસભ્ય કિરીટ પટેલ દ્વારા મુખ્યમંત્રી વિજય રૂપાણીને રજુઆત કરાઈ છે. સરકાર દર વખતે ખેડૂતોની ખેત પેદાશો બજારમાં વેચાણ થઈ ગયા બાદ ટેકાના ભાવે ખરીદવા નીકળતી હોય છે. ત્યારે આ બાબતે ૧પ ફેબ્રુઆરી પહેલા રાયડાની ટેકાના ભાવે ખરીદી કરવા માટે માગણી કરાઈ છે.
આ વખતે ચોમાસામાં વરસાદનું પ્રમાણ ઓછું હોવાથી અને અંતરિયાળ વિસ્તારમાં કેનાલોમાં પાણી ન પહોંચવાના કારણે ખેડૂતોએ ઓછા પિયતથી થતા પાકો જેમાં ખાસ કરીને રાયડાનું મોટા પ્રમાણમાં વાવેતર કર્યું છે. અને રાઈનો પાક હવે તૈયાર થઈ ગયો છે, ત્યારે સરકાર ઉત્તર ગુજરાતમાંથી પ્રતિ મણે રૂ.૧૦૦૦ ના ભાવે રાયડાની ખરીદી કરે તે માટે પાટણના ધારાસભ્ય કીરીટ પટેલે મુખ્યમંત્રી  વિજય રૂપાણીને રજૂઆત કરી છે. જેમાં દર વખતે ખેડૂતો ખેત પેદાશોનું બજારમાં વેચાણ કરી દીધા પછી સરકાર ટેકાના ભાવે ખરીદી કરે છે. જેના કારણે નાના અને ગરીબ ખેડૂતોને ટેકાના ભાવનો લાભ મળતો નથી, અને આર્થિક મોટું નુકશાન ભોગવવું પડે છે ત્યારે આ વખતે ૧પ ફેબ્રુઆરી પહેલા ઉત્તર ગુજરાતમાંથી ટેકાના ભાવે ખરીદી કરવા માગણી કરી છે જેનાથી ખેડૂતોને સીધો ફાયદો થઈ શકે તેમ છે.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.