રાધનપુરમાં ગણિત-વિજ્ઞાન-પર્યાવરણ પ્રદર્શન યોજાયું

 
રાધનપુર : રાધનપુરમાં નાલંદા વિદ્યાલયમાં જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન -પાટણ પ્રેરિત તાલુકા કક્ષાનું ગણિત-વિજ્ઞાન-પર્યાવરણ પ્રદર્શન યોજાયું હતું,જેમાં બી.આર. સી.કક્ષાએ પ્રાથમિક વિભાગની ૪૫ કૃતિઓ અને એસ.વી. એસ.કક્ષાએ માધ્યમિક વિભાગની ૩૭ કૃતિઓ રજુ કરવામાં આવી હતી.આ પ્રસંગે ગત સાલ રાજ્ય કક્ષાએ વિજ્ઞાનમેળામાં કૃતિ રજુ કરનાર વલ્લભનગર અને ગોતરકા પ્રાથમિક શાળાના શિક્ષકો અને વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા. જિલ્લા એજ્યુકેશન ઇન્સ્પેક્ટર દિનેશભાઇ પ્રજાપતિ, વિવેકાનંદ વિકાસ મંડળના મંત્રી દઝાભાઇ ચૌધરી,રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ-રાધનપુરના પ્રમુખ ભેમાભાઈ પટેલ, મહામંત્રી મહામંત્રી મહાદેવભાઈ રબારી સહિતની ઉપસ્થિતિમાં અને બી.આર. સી.કો-ઓર્ડીનેટર હીરાભાઈ પટેલ અને નાલંદા વિદ્યાલયના આચાર્ય રમેશભાઈ ચૌધરીના માર્ગદર્શન હેઠળ યોજાયેલ આ પ્રદર્શનમાં પ્રથમ અને દ્વિતીય નંબરે આવેલી કૃતિઓ જિલ્લા કક્ષાએ ભાગ લેશે.

 

  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.