થરાદ : સોમવારના સવારની સુમારે થરાદથી વાવ રોડ પર અનાજનો જથ્થો (બોરી) ભરીને ય્ત્ન૧૬ છફ ૭૨૬૩ નંબરનું જીપડાલું વાવ તરફ જઇ રહ્યું હતું. જેનું ટાયર ફાટવાના કારણે થરાદના ગોકુળગામના પાટીયાપાસે હાઇવે રોડ વચ્ચે પલટી ખાઇ ગયું હતું.આથી તેમાં બેઠેલા મજુર દોલપુરી શંકરપુરી ગૌસ્વામી મુળ રહે.કાપરાઉ તા.ચૈહટન હાલ.રહે શિવનગરનું ગંભીર ઇજાઓના કારણે કરૂણ અને કમકમાટીભર્યું મૃત્યુ નિપજ્યું હતું. જેના મૃતદેહને પીએમ અર્થે સરકારી હોસ્પીટલમાં લવાયો હતો.
આ બનાવના પગલે માર્કેટયાર્ડના મજુરો બહોળી સંખ્યામાં થરાદની સરકારી હોસ્પીટલમાં દોડી આવ્યા હતા.ભગવાનભાઇ દલરામભાઇ પટેલ રહે.ઢેરીયાણાએ આ બનાવ અંગે જીપચાલક મહાદેવભાઇ ધનાભાઇ ચૌધરી રહે.ટડાવ તા.વાવ સામે પોલીસમથકમાં ફરિયાદ નોંધાવી હતી.પોલીસે જીપચાલક સામે ગુનો દાખલ કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી. આ બનાવને લઇને માર્કેટમાં અરેરાટી મચી જવા પામી હતી.