બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના બુકોલી ગામે રહેતા 55 વર્ષીય સોલંકી વાલજીભાઈ વિરસંગજી પોતાના ખેતરમાં જવાના રસ્તે બાઈક લઈ નીકળતા તેમના કૌટુંબિક ભાઈઓને દરવાજો બંધ કરી નીકળવાનું કહેતા તકરાર થઇ હતી. બાદમાં ભાઈઓ દ્વારા લગ્નમાં સમાધાન માટેની વાત કરવામાં આવી હતી. જેને લીધે સામા પક્ષવાળા લોકો ઉશ્કેરાઈ જઈ આમને સામને આવી ગયા હતા અને મામલો મારામારી સુધી પહોંચી ગયો હતો. જેમાં મૃતક વાલજીભાઈને માથામાં કપાળે ઇજા પહોંચી હતી આથી તેમનું ઘટના સ્થળે મોત થયું હતું. આ અંગે શિહોરી પોલીસ સ્ટેશનમાં જાણ કરવામાં આવતા પોલીસે તપાસ હાથ ધરી હતી. વાલજીભાઈના મૃતદેહ શિહોરી સરકારી હોસ્પિટલમાં પી.એમ.માટે લવાયો હતો. આથી મૃતકના વાલી વારસો શિહોરી સરકારી હોસ્પિટલમાં દોડી આવ્યા હતા. જોકે મોત અંગેની વધુ વિગતો પીએમ રિપોર્ટ બાદ ખબર પડે એવી શક્યતા છે. જોકે હાલમાં શિહોરી પોલીસે અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ માટે ચક્રો ગતિમાન કર્યા હતા.