બાઇકસવાર પોલીસ કર્મચારીનુ માર્ગ પર મોત, કારણ અકબંધ

ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા કોન્સ્ટેબલ બાઇક પર સવારથી પોતાના વતનમાં જતા હતા. ખેડબ્રહ્માથી ગ્રામ્ય માર્ગ તરફ જતાં અચાનક અકસ્માત થયો હતો. પોલીસ કોન્સ્ટેબલે માર્ગ અકસ્માતને પગલે ઘટનાસ્થળે જ દમ તોડી દીધો હોવાનું પ્રાથમિક માહિતિ મુજબ જાણવા મળ્યુ છે. જોકે કોન્સ્ટેબલના મોત વિશે અનેક શંકા-કુશંકા વચ્ચે હજુ સુધી કારણ અકબંધ હોવાની વિગતો સામે આવી છે.
 
સાબરકાંઠા જીલ્લાના ખેડબ્રહ્મા શહેર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા કોન્સ્ટેબલ જગદિશભાઇ કાવજીભાઇ કટારાનું માર્ગ અકસ્માતમાં મોત નિપજ્યુ છે. કોન્સ્ટેબલ જગદિશભાઇ નોકરી પુરી કરીને પોતાના વતનમાં જતા હતા. આ દરમ્યાન ગ્રામ્ય માર્ગ પર અચાનક અકસ્માતમાં સર્જાયો હતો. રાહદારીઓએ ૧૦૮ને જાણ કરતા વિજયનગર જનરલ હોસ્પિટલ લઇ જવાયા હતા. ત્યાં હાજર પરના તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા. પરંતુ તેમના મોત પાછળનું કારણ હજી પણ અકબંધ છે.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.