થરાદ તાલુકાના બેવટા ગામના બે ખેડુતોએ વિજ કંપનીમાં વિજજોડાણની અરજી કર્યા બાદ ફી પણ ભરી દીધી હતી.તેમજ લાખો રૂપીયા ખર્ચીને બોર પણ બનાવી રાખ્યા હતા. પરંતુ વિજકંપનીની બોર બનાવ્યાની નોટીસનાં કાગળો નહી મળતાં ખેડુતોને ભરાઇ પડવાનો વારો આવ્યો છે. વિજ કંપનીએ કાગળો પોસ્ટમાં મોકલ્યાનું જણાવી જુનુ કનેકશન રદ કરી નવેસરથી અરજી કરવા જણાવતાં પોસ્ટ ઓફીસની બેદરકારીને લઇને ભારોભાર રોષની લાગણી ફેલાવા પામી છે. આ અંગે સ્થાનીક કચેરીથી વડાપ્રધાન સુધી રજુઆત કરાતાં ખળભળાટ મચવા પામ્યો છે.