રવિવારે સુરતમાં બનેલી ઘટનાની શાહી હજી સુધી સૂકાયું નથી, ત્યાં આજે સવારે વધુ એક ગમખ્વાર અકસ્માત બન્યો હતો. સુરતના નેશનલ હાઇવે 48 ઉપર અજાણ્યા વાહન સાથે ખાનગી લક્ઝરી બસ અથડાતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ ઘટનામાં 2 લોકોના મોત નિપજ્યા છે, જ્યારે 5 લોકો ઈજાગ્રસ્ત થયા છે. અકસ્માતના કારણે હાઇવે ઉપર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. જોકે, પોલીસ દ્વારા લક્ઝરી બસને ક્રેઇનની મદદથી રોડ ઉપરથી હટાવવામાં આવી હતી.
સુરતમાં બનેલી આ ગોજારી ઘટનાથી હાઈવે પર સ્થાનિક લોકોના ટોળે ટોળા એકઠાં થયા હતા. તેની સાથે પોલીસ પણ સ્થળ ઉપર આવી પહોંચી હતી. સ્થાનિક લોકો અને પોલીસ દ્વારા સંયુક્ત કામગીરીના કારણે લક્ઝરીમાં સવાર અન્ય મુસાફરોને નીચે ઉતારી સલામત સ્થળે ખસેડ્યા હતા. જ્યારે ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ મોકલ્યા હતા.
સુરત નેશનલ હાઇવે પર રવિવારે સાંજે એક ખાનગી લક્ઝરી બસ અને અજાણ્યા વાહન સાથે ધડાકાભેર ટક્કર થઇ હતી. જેના પગલે બે લોકોના મોત થયા છે. જ્યારે છ લોકો ઇજાગ્રસ્ત થયા છે. ઇજાગ્રસ્તોને સારવાર માટે નજીકની હોસ્પિટલ ખસેવામાં આવ્યા છે. ઘટનાના પગલે સ્થાનિક લોકો અને પોલીસ સ્થળ ઉપર દોડી આવી હતી. કોસંબા નજીક ઘટેલો આ અકસ્માત એટલો ભયંકર હતો કે, લક્ઝરીનો આળગના ભાગના ભુક્કા બોલાઇ ગયા હતા.