બનાસકાંઠામાં ગુલ્લીબાજ ૧૯ શિક્ષકોને નોટિસ ફટકારાઈ

પાલનપુર : સરહદી બનાસકાંઠા જિલ્લામાં પ્રાથમિક શાળાઓમાં ફરજ બજાવતા ૧૯ શિક્ષકોને રજા લીધા વગર ગેરહાજર રહેવાના મુદ્દે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીએ નોટિસ ફટકારતાં ગુલ્લીબાજ શિક્ષકોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે. સરહદી બનાસકાંઠા જિલ્લાના અંતરિયાળ વિસ્તારોમાં આવેલી પ્રાથમિક શાળાના શિક્ષકો મોટાભાગે નજીકના શહેરોમાંથી અપડાઉન કરે છે. જેઓ પોતાના અંગત કામ માટે શાળામાંથી ગુલ્લીઓ મારતા હોવાનું જાણવા મળતાં બનાસકાંઠા જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી પ્રજાપતિએ આ દિશામાં તપાસ હાથ ધરી હતી. જેમાં તંત્રને જાણ કર્યા વિના રજા ઉપર રહેનારા ૧૯ શિક્ષકો સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જેમને નોટિસ ફટકારી ખુલાસો કરવા જણાવાયું છે. જેના પગલે ગુલ્લીબાજ શિક્ષકોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.