સૂસાઇડનોટ લખી ચાલ્યા ગયેલા નિવૃત શિક્ષક અંબાજીમાંથી મળ્યા

પંચમહાલ જીલ્લાના શહેરાનગરમાં વ્યાજખોરોના ત્રાસથી કંટાળીને સુસાઇટ નોટ લખીને ગુમ થઈ
જનાર નિવૃત શિક્ષક ભીખાભાઈ પ્રજાપતિ યાત્રાધામ અંબાજી ખાતેથી પોલીસની શોધખોળ દરમિયાન મળી આવ્યા હતા.
 
પ્રાપ્ત વિગતો અનુસાર શહેરાનગરમાં આવેલી ગાયત્રી સોસાયટીમાં રહેતા નિવૃત શિક્ષક ભીખાભાઈ પ્રજાપતિએ વ્યાજખોરો પાસેથી ૧૫ લાખ જેટલી રકમ વ્યાજે લીધી હતી અને ત્યારબાદ પૈસા વ્યાજ સાથે રકમ ચુકવી દીધા હોવા છતા વ્યાજખોરો તેમને ધમકાવતા હતા આથી ડરી ગયેલા નિવૃત શિક્ષક ભીખાભાઈ પ્રજાપતિ સુસાઇટનોટ પથારીમાં છોડીને સવારે નીકળી જતા પરિવારજનો પણ ચિંતામા પડ્યા હતા.શહેરા પોલીસે ટીમ બનાવી શોધખોળ હાથ ધરવામા આવી હતી.જેમા પોલીસ તેમને સાથે રાખેલા મોબાઇલનુ લોકેશન પર ટ્રેસ કરતી જેમા તેમને મોબાઇલ ફોન ચાલુ કરતા લોકેશન યાત્રાધામ અંબાજી ખાતે મળ્યુ હતુ.આથી પોલીસ ટીમે અંબાજી ખાતેથી તેમને શોધી કાઢ્યા હતા.ત્યારબાદ મોડીરાતે શહેરા પોલીસ સ્ટેશન લાવ્યા બાદ પુછપરછ હાથ ધરવામા આવી હતી.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.