રાધનપુરમાં રેફરલ હોસ્પિટલના ગેટ આગળ ભરાતાં વરસાદી પાણીનો કાયમી નિકાલ ક્યારે .??

રાધનપુર : રાધનપુરમાં ચાર કરોડ રૂપિયાના ખર્ચે અત્યાધુનિક સરકારી રેફરલ હોસ્પિટલ બનાવવામાં આવેલી છે,પરંતુ છેલ્લા બે વર્ષથી ચોમાસામાં વરસાદના પાણી આ રેફરલ હોસ્પિટલના ગેટ આગળ ભરાતાં હોવાથી રેફરલમાં સારવાર માટે આવતા દર્દીઓ તેમજ રેફરલના સ્ટાફને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે,જો કે નગરપાલિકાના સેનેટરી ઇન્સ્પેક્ટર જ઼ા બિલ્લી મોભામોભની નીતિ અખ્તયાર કરીને જવાબદારીમાંથી છટકવા માંગતા હોય તેવું જણાઈ રહ્યું છે.
રેફરલ હોસ્પિટલમાં રાધનપુર-સાંતલપુર-કાંકરેજ-ભાભર-દિયોદર-સુઈગામ તેમજ છેક કચ્છના દર્દીઓ સારવાર માટે આવતા હોય છે.પરંતુ છેક  દૂરથી આવતા દર્દીઓ અહીં આવીને જુએ છે તો રેફરલના ગેટ આગળ જ પાણી ભરેલા હોય છે, જેથી રેફરલમાં જવા માટે ભારે હાલાકીનો સામનો કરવો પડે છે.રક્ષાબંધનના દિવસોમાં પડેલા વરસાદનું પાણી આજે પણ સુકાયું નથી અને લોકો હાલાકી ભોગવી રહ્યા છે. રેફરલ હોસ્પિટલના એક કર્મચારીના જણાવ્યા મુજબ ૨૦૧૭ પાણી વધુ આવતા ગટરો જામ થઇ ગઈ હોવાથી રેફરલના ગેટ આગળ ભરાતાં પાણીનો નિકાલ થઇ શકતો નથી,પહેલા પાણીનો નિકાલ થઇ જતો હતો,જેથી પાણી ભરાતું નહોતું. આજે છેલ્લા બે વર્ષથી ગટરો જામ થઇ ગઈ છે,અને સાફ કરાતી ના હોવાથી પાણીનો નિકાલ થઇ શકતો નથી. જો આ ગટરો સાફ કરી નાખવામાં આવે તો પાણીનો નિકાલ થઇ જાય અને લોકોને પડતી હાલાકી દૂર થાય. જો કે પાલિકાના સેનેટરી ઇન્સ્પેક્ટર પ્રશાંત સોની જા બિલ્લી મોભામોભની નીતિ અખત્યાર કરીને જવાબદારીમાંથી છૂટવા માંગતા હોય તેમ તેમણે જણાવ્યું હતું કે રેફરલ આગળ ભરાયેલા પાણીના નિકાલની જવાબદારી અમારી નથી.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.