ગુજરાતના મુખ્ય ન્યાયમૂર્તિ આર. સુભાષ રેડ્ડીએ જાહેર કર્યું હતું કે ગુજરાતમાં 22.42 લાખ કેસ અદાલતમાં પડતર છે. 2016મા જે સ્થિતિ હતી તે આજે સુધરી નથી પણ વધુ ખરાબ થઈ રહી છે. ગુજરાત એક એવું રાજ્ય છે કે જ્યાં વસતીના પ્રમાણમાં સમગ્ર દેશમાં સૌથી વધુ કેસ પડતર છે. એક હજારની વસતીએ 34 કેસ અદાલતમાં છે. જે 3.4 ટકા થવા જાય છે. જે કાયદો અને ન્યાય વિભાગના પ્રધાન પ્રદીપ જાડેજાની સદંતર નિષ્ફળતા બતાવે છે. છેલ્લાં 23 વર્ષથી ભાજપ સત્તા પર છે. તેથી આ કેસનો ભરાવો થયો તે માટે ભાજપ જવાબદાર છે. તેઓ સામાજિક પ્રશ્ન ઉકેલી શકતા નથી, પણ અદાલતોમાં વધારે ન્યાયાધીશ મૂકીને કેસ ઓછા કરી શકે છે. 7 વર્ષ પહેલાં ભાજપ સરકારે જાહેર કર્યું હતું કે ગુજરાતની અદાલતમાં દાખલ થતાં કોઈ પણ કેસનો ચૂકાદો એક વર્ષમાં આવી જશે પણ જે રીતે કેસનો ભરાવો થયો છે તે જોતા તેનો નિકાલ કરવામાં 14 વર્ષ જેવો સમય નીકળી જાય તેમ છે.
ગુજરાતની કોર્ટોમાં કેસ આવે જ નહીં તે માટે દરેક પોલીસ મથકે ખાનગી સૂચના આપી દેવામાં આવે છે કે ફરિયાદ ન લો. પહેલા ટાળો. દબાણ વધે તો જ ફરિયાદ લેવી. કોર્ટ કહે તો જ ફરિયાદ લેવી. આવું વલણ ગુજરાતની હાલની ભાજપ સરકારનું છે. પોલીસ મથકે પહેલાં તો ફરિયાદ જ લેવામાં આવતી નથી. માત્ર અરજી આપવાનું કહેવામાં આવે છે.
રાજ્ય | પડતર કેસ | 1000 માણસ દીઠ પડતર કેસ |
ગુજરાત | 22,44,401 | 34 |
ચંદીગઢ | 32,901 | 31 |
આંદામાન - નિકોબાર | 10,251 | 27 |
મહારાષ્ટ્ર | 2,971,629 | 26 |
ઉત્તરપ્રદેશ | 4,751,545 | 24 |
હિમાચલ પ્રદેશ | 162,497 | 24 |
હરીયાણા | 520,063 | 21 |
ઓરિસ્સા | 827,809 | 20 |
કેરળ | 662,843 | 20 |
કર્ણાટક | 1,186,388 | 19 |
રાજસ્થાન | 1,262,979 | 18 |
પંજાબ | 504,702 | 18 |
ઉત્તરાખંડ | 162,404 | 16 |
પશ્ચિમબંગાળ | 1,375,685 | 15 |
બિહાર | 1,348,204 | 13 |
તમિલનાડુ | 877,930 | 12 |
આંધ્ર-તેલંગણા | 761,322 | 09 |
ઝારખંડ | 281,898 | 09 |
આસામ | 181,441 | 06 |
છત્તીસગઢ | 171,127 | 07 |
કાશ્મીર | 48,470 | 04 |
ત્રિપુરા | 26,219 | 07 |
મણિપુર | 7,922 | 3 |
મેઘાલય | 4,831 | 2 |
મિઝોરમ | 1,777 | 2 |
સિક્કીમ | 1,346 | 2 |
કુલ પડતર કેસ | 20,188,584 | 18 |