સમાજમાંથી વ્યસન અને કુરિવાજો ડામવા પોતાનું જીવન ઘસી નાખનાર સંત શિરોમણી પૂ.સદારામ બાપાની તબિયત નાજુક થઇ ગઈ હતી. કાંકરેજના ટોટાણાં ખાતેના આશ્રમમાં બાપાના દર્શન કરવા ભક્તોની ભીડ એકત્ર થવા લાગી છે. પૂ.બાપા હાલ વેન્ટિલેટરના સહારે શ્વાસ લઈ રહયા છે. પરંતુ તેમના અવસાન અંગેના હાલમાં વહેતા થયેલા સમાચાર ખોટા હોવાનું જણાવી ખોટી અફવા ન ફેલાવવા અગ્રણી અણદાભાઈ પટેલે અપીલ કરી છે.