થરાદ એ પી એમ સી ખાતે સોમવારે રાજયમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ પાર્ટીના કાર્યકર્તાઓ સાથે અંગત મિટિંગ યોજી હતી અને ભાજપ ના ચૂંટાયેલા અને સ્થાનિક કાર્યકર્તાઓ ના સેન્સ લીધા હતા ત્યારે આ કાર્યક્રમ માં બનાસકાંઠા સંસદ પરબતભાઇ પટેલ,કેસાજી ચૌહાણ,અમૃતભાઈ દવે સહિત બહોળી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા અને ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું કે આવનારી વિધાનસભા ની પેટા ચૂંટણી પરબતભાઇ કરતા પણ વધુ મતો થી કમળ ને જીતડવાની હાકલ કરી હતી.
થરાદ એ.પી.એમ.સી. મુકામે બનાસકાંઠાની થરાદ વિધાનસભા બેઠકના ઇન્ચાર્જ ભુપેન્દ્રસિંહ ચુડાસમા અને ભાજપના જિલ્લાના પ્રભારી દુષ્યંતભાઇની અધ્યક્ષતામાં આગામી ચુંટણી અંગે ઉમેદવારના સેન્સલેવાની પ્રક્રિયા હાથ ધરાઇ હતી. સોમવારે રાજયમંત્રી ભુપેન્દ્ર સિંહ ચુડાસમાએ પાર્ટીના કાર્યકર્તાઓ સાથે અંગત મિટિંગ યોજી હતી અને ભાજપના ચૂંટાયેલા અને સ્થાનિક કાર્યકર્તાઓના સેન્સ લીધા હતા. આ કાર્યક્રમમાં બનાસકાંઠા સંસદ પરબતભાઇ પટેલ, જિલ્લાભાજપના કેશાજી ચૌહાણ, અમૃતભાઈ દવે સહિત જિલ્લાના ત્રણેય મહામંત્રીઓ અને બહોળી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. વિધાનસભાબેઠકના ઇંચાર્જ ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ આવનારી વિધાનસભાની પેટાચુંટણીમાં ગત વિધાનસભામાં પરબતભાઇ પટેલ કરતાં પણ વધુ મતોથી કમળ ને જીતડવાની હાકલ કરી હતી. જો કે આજની બેઠકમાં ઉમેદવારના નામ અંગેની કોઇ ચર્ચા નહી કરવામાં આવી હોવાનું સુત્રો પાસેથી જાણવા મળ્યું હતું. પરંતુ સ્થાનિક ઉમેદવારને પસંદગી આપવામાં આવે તેવો સુર વ્યક્ત કરાયો હોવાનું જાણવા મળ્યું હતું.