યાત્રાધામ બહુચરાજીમાં પતિના મૃત્યુને ચોવીસ કલાક બાદ પત્નીનો દેહ ત્યાગ

ચાણસ્મા યાત્રાધામ બહુચરાજીમાં રહેતા એક ગોસ્વામી યુગલનું ર૪ કલાકના અંતરમાં મૃત્યુ થયાની ઘટના બની છે. જાણે આ દંપતીએ સાથે જીવવા અને મરવાના કોલ આપ્યા હોય તેમ બંનેનો ટૂંકા અંતરમાં પ્રાણ ત્યાગ કરતાં લોકોએ પણ તે ચર્ચાનું કેન્દ્ર બન્યા છે. 
બહુચરાજી ખાતે બાવાની વાડીમાં રહેતા અમૃતવન સૂરજવન ગોસ્વામી (ઉ.વ.૬૯ ) નું ગઈકાલ બુધવારે સવારે ૬ વાગે આકÂસ્મક અવસાન થયું હતું. જેને લઈ પરિવારજનો દ્વારા તેમની પરંપરાગત વિધિ મુજબ સમાધિ આપવામાં આવી હતી. દરમિયાન, તેમનાં પત્ની કોકીલા બેન (૬પ) ને પતિની અણધારી વિદાયનો જાણે આઘાત લાગ્યો હોય તેમ તબિયત અચાનક કથળી અને પતિના મૃત્યુના બરાબર ર૪ કલાક બાદ આજે ગુરુવારે સવારે ૬ વાગે તેમણે પણ દેહત્યાગ કર્યો હતો. એક સારસ બેલડીની જેમ આખુ આયખું સાથે નિભાવનાર આ દંપતીએ પણ જાણે સાથ જીએંગે સાથ મરેંગેનો કોલ પાળ્યો હોય તેમ જણાઈ રહ્યુ છે. માતા- પિતાના આમ અચાનક નિધનથી તેમના પુત્રો અનિલવન અને પ્રવિણવન સહિત આખો પરિવાર ઘરનો મોભ ગુમાવ્યાની વેદના અનુભવી રહ્યો છે. 
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.